શિક્ષણ અને સમાજ (N.E.E.T & CLEAN-2 હોઁ..)
By મૌલિક પંડ્યા
"જાગ્યા ત્યારથી સવાર.." આ ઉક્તિ અનેકવાર સૌ એ વાંચી, સાંભળી અને કોઈકવાર પરાણે અર્થવિસ્તારની જેમ માથે પડવાથી કે પોતાની ગ્લાનિ છુપાવવાની ભાવના સાથે સંભળાવી પણ હશે. તેમ છતાં પણ આ ત્યાં સુધી શાશ્વત છે જયાં સુધી આપણે ઊંઘવાનું નહિં ભૂલીએ. (અહીં ઊંઘવાના સ્થૂળ મતલબને લઇને Insomnia ના કોઈ દર્દીએ મારો સંપર્ક કરવો નહીં જ..) મારો કહેવાનો મતલબ છે કે અજ્ઞાનની ઘોર નિંદ્રામાં સરવાનું અને હવેના સમય પ્રમાણે તો જ્ઞાન-સમજણ હોવા છતાં અજ્ઞાનનો હઠાગ્રહ રાખી, પરાપૂર્વથી ચાલતી નીતિ-રીતિનો દાખલો આપતાં રહીને 'જાણી જોઈને' અજ્ઞાનની ગર્તામાં ખાબકવાનું છોડવાનો છે. અહીં અજ્ઞાન શબ્દનું વારંવાર પુનરાવર્તન હું દરેક કુરિવાજ, માન્યતા, રૂઢિ, પ્રચલન, બદી, વ્યસન, માનસિકતા અને વ્યવહાર એવા અને બીજા અનેક જાણ્યા-અજાણ્યા પણ સભ્ય સમાજ માટે 'દૂષણો' માટે કરી રહ્યો છું.
વાર્તાના ગતાંકની જેમ આપણે અગાઉ N.E.E.Tની આવશ્યકતા અને બાળકનાં જન્મથી એની સાથે જોડાતી આધુનિક માતા-પિતાની અનેક વિડંબનાઓનો ઉલ્લેખ કર્યો. (ઉલ્લેખ મેં મારી મતિ મુજબ કર્યો અને આપે વાંચી-સમજી સહકાર આપ્યો એમ જ હોઁ..) અહીં આપણે શિક્ષણના માધ્યમથી આગળ વધીને મનગમતાં વિષયો સાથે Graduationથી લઇને મનગમતાં ક્ષેત્રમાં કારકિર્દી ઘડી મનગમતાં પાત્ર સાથે લગ્ન સુધીની વાત કરવી છે.
આપણી શિક્ષણવ્યવસ્થાની બદીઓ, ટ્યુશનપ્રથા અને ઉપરથી આડોશ-પાડોશની દેખાદેખી કે સગાં-સંબંધીઓના ઉદાહરણથી અપાતાં વિવિધ દબાણો - આ પ્રક્રિયાઓમાંથી થઇને બાળક કે જે હવે પુખ્ત ઉંમરે, જાતે નિર્ણય કરવા સક્ષમ બન્યું હોવું જોઈએ - તેના સ્નાતક-અનુસ્નાતક (Graduation-Post Graduation જ સ્તો..!)ના વિષયોનો નિર્ણય લેવાય છે. ખાટલે મોટી ખોડ કહો કે કમનસીબી, અહીં આ યુવા હૈયાઓની ઈચ્છાને છેલ્લા ક્રમનું પણ મહત્વ હાલની તારીખે પણ મોટાભાગના કિસ્સાઓમાં અપાતું નથી. ૨૧મી સદી જ્ઞાનની સદી છે અને ભારતને તેનાં ભવ્ય ભૂતકાળની યાદો અપાવતાં સુવાક્યો અને સરકારશ્રીની અનેક યોજનાઓ, તેમનાં હેતુઓ ત્યારે ધૂળમાં મળેલી લાગે જ્યારે આઝાદીના આટલાં વર્ષે પણ ભારતનું યુવા ધન પસંદગીના વિષય સાથે ભણવા માટે આઝાદ નથી. શહેરી વિસ્તારોમાં અને અમુક વિકસિત માનસિકતા ધરાવતાં કુટુંબોના આંગળીના વેઢે ગણી શકાય એટલા ઉદાહરણો જો કે રણમાં મીઠી વીરડી સમાન છે. વિષયો પસંદ કરવાની સ્વતંત્રતા મળે, બાળપણથી જ કુતૂહલવૃત્તિ કેળવવામાં મદદ મળી હોય, વિશ્વનાં સાંપ્રત પ્રવાહો અનુસાર સારા-ખરાબ અને સાચાં-ખોટાં જ્ઞાનની સમજ વિકસે તો આપણી શિક્ષણ પદ્ધતિની 'પુરાની હવેલી'નો ઢાંચો જે ચોક્કસપણે નબળો છે- તે સુધારવાની, કૈંક નવું કરવાની અને વિચારવાની ધગશ સાથે સફળતાથી દુનિયામાં ડંકો વાગે ને!! (સાલું ભાવનાઓમાં વહીને લાંબુ વાક્ય. લખાઈ ગયું.. શું? કોઈ નહીં વાંચે/સમજે એમ?? અરે એકાદ સ્પાર્ક થાય તો'ય ગંગા નાહ્યાના ભાવથી અને કાંઇ ના થાય તો મારી હૈયા વરાળને ઠારવા આ મંચ પરથી લખું છું અને Hopeful પણ ખરો કે એક દિવસ સોનાનો સૂરજ ઉગશે..!)
અહીં તો જુના-પુરાણા અભ્યાસક્રમોના પોપટ-પાઠ પછી ટૂંકામાં ટૂંકા રસ્તે, વગર મહેનતે કે ઓછી મહેનતે બધાંને Settled Business કે White collar job કરવી છે, પછી કળા, વિજ્ઞાન, રમત-ગમત, સંગીત કે અન્ય મનગમતાં ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવાનાં સપનાં માત્ર કાગળ પર રહે છે- પ્રસિદ્ધ અને ચીલાચાલુ એવી Tried & Tested career ને follow કરતા લોકો (ઘેટાંઓનુ ટોળું..) 'સામાજિક વ્યવસ્થાનું માળખું ભાંગ્યું છે' થી લઇને શહેરીકરણ, પ્રદૂષણ, મોંઘવારી, ગરીબી, નિરક્ષરતા, નૈતિક મૂલ્યોના અધ:પતન અને આતંકવાદની ઠાલી ચર્ચાઓના થૂંક ઉડાડશે; દંભના ઓથા હેઠળ જીવન જીવી જશે.
હા, આ તમામ સમસ્યાઓથી બચાવી શકનાર તત્વ છે - પ્રેમ.. મનગમતાં જીવનસાથીને પસંદ કરવાની પ્રક્રિયા અથવા લગ્ન.. ગમે તે સ્થિતિમાં ઉછેર થયો હોય, ગમે તે આર્થિક પરિસ્થિતિ હોય, કોઇપણ માધ્યમમાં અભ્યાસ કર્યો હોય, કોઇપણ ક્ષેત્રમાં Job/Business હોય (ઘણીવાર ના પણ હોય..!), કોઇપણ જ્ઞાતિ-જાતિ કે રંગનાં માણસને એક Minimum (કેમ કે એમાં પાછું maximum જેવું બી કૈં ન હોય!) ઉંમરના એક પડાવ પછી જે હોર્મોનલ ચેન્જીસ અને હૃદયનાં ધબકારના તાલબદ્ધ નાદે, જે પ્રેમ નામનું અમર ઔષધ લાધે, એ આ તમામ બંધનોને તોડી-ફગાવી, નવું ભાવ-વિશ્વ જગાવવા સમર્થ છે. આ પ્રેમને લીધે લગ્નો અથવા જીવન સાથે વિતાવવાની ઘટના અથવા ઘણી વખત તેને લીધે મળતો સબક - એ તમામ દર્દોની દવા છે. આજકાલની fast lifeને લીધે આવેલી સમસ્યાઓ જેવી કે નાનપણથી બધી ઇતર પ્રવૃતિઓ સાથે અભ્યાસમાં પણ સતત સારા performanceનું tension, સારી career અને ત્યારબાદ તેમાં પ્રગતિ માટે targetનું pressure, સતત ભાગદોડ વચ્ચે family life પર ધ્યાન ના અપાવાથી stress, આ બધું જ સુખી, સફળ જીવન માટે જરૂરી હશે, પરંતુ સાચો આનંદ પરિવાર- મિત્રો સાથે મળીને આ ખુશીઓ વહેંચવાથી મળે છે એ આપણે બધાંએ ક્યાંક ને ક્યાંક અનુભવેલું છે.
આ મૂળ તત્વ જે બધાં સાથે આનંદ આપે એ જ પ્રેમ.. જુદાં જુદાં વ્યસનોથી આભાસી અને ટૂંકાગાળાની શાંતિ કે સતત depression અને જુના વ્યાધિ જેવા જ્ઞાતિ-પ્રથા, નિરક્ષરતા, ભ્રષ્ટાચાર, સ્ત્રીઓને અબળા માનવી કે સતત એવો વ્યવહાર કરવો - આ તમામને દૂર કરવાની કે પાયાનાં સુધારાઓ માટેનું સાધન એકમાત્ર - પ્રેમ છે.
પ્રેમની બહોળી વ્યાખ્યામાં માનવમાત્રને સમાન ગણી, પોતાનાં પરિવાર, કાર્યક્ષેત્ર, પડોશીથી માંડીને દરેક પ્રત્યે પ્રેમ ને કરુણા સતત, અવિરત આસપાસ પ્રસરીને વિકસ્યા કરે એવી મંગલ-કામના સાથે વિરમું છું.. મળતાં રહીશું..
(સહેજ પણ એવું નથી કે આવી શાણપણની વાતો, આદર્શો, કંઇ કેટલાંય મહાપુરુષો કહી ગયાં, કંઇ કેટલાંય હજારો વર્ષો જૂની માનવ પ્રજાતિમાં અનેક ધર્મોએ આ જ વાત અનેક સિદ્ધાંતો સ્વરૂપે કરી છે છતાં યુગોથી માનવી ઉલ્ટાનો વધુને વધુ નિમ્ન કક્ષાએ જતો જાય છે એટલે આ બધું નકામું, અર્થહીન છે! ઉપરની દુનિયા કે ઉપરવાળામાં ભરોસો હોય કે નાસ્તિક હો, સ્વયં પર ભરોસો રાખીને જાત સુધારીશું તો આ સ્વપ્ન બિલકુલ અવાસ્તવિક નથી જ હોઁ કે..! એટલે જ શિક્ષણથી ચાલુ કરીને આ વાત છેક અહીં સુધી મેં લંબાવી, લાંબી વાત કોઈ વાંચશે કે નહીં-નો ભય હોવાં છતાં.. :-) )
અભિપ્રાયોનું સ્વાગત છે..
pmaulikb@gmail.com
-મસ્તમૌલાની બેફિકરી વાતો
12/08/2016
Writing style is very impressive nd content is very good .... :)
ReplyDeleteThanks a lot.. Reviews boosts me up..
DeleteWriting style is very impressive nd content is very good .... :)
ReplyDeleteMaulik....
ReplyDeletebefikra mast maula...
but realistic...
.
Lagey raho
Aabhar.. Haunsla afsai badal..
DeleteVery nice Maula!!!!
ReplyDeleteBadhi mushkeli nu Karan kidhu ane Ani dava kidhi.....bus Prem prem prem..... :)
Very nice Maula!!!!
ReplyDeleteBadhi mushkeli nu Karan kidhu ane Ani dava kidhi.....bus Prem prem prem..... :)
Vahh khaub j sachot ne samjva jevu...
ReplyDeleteVahh khaub j sachot ne samjva jevu...
ReplyDeletevanchshe vanchshe ane vanchsej !!!!!!!!!
ReplyDeletekhub saras vat lakhi chhe
Good . Keep it up....
ReplyDelete