Showing posts with label Maulik. Show all posts
Showing posts with label Maulik. Show all posts

ખુશી-આનંદનું સરનામું...!

 ખુશી-આનંદનું સરનામું...!

By Maulik Pandya







આનંદ.. ખુશી.. મજા-મસ્તી ઉર્ફે મોજ, એ જિંદગીની Balance-sheetનું જમાપાસું છે. તમને થશે આ વરસને અંતે આણે'ય આવક-જાવકના આંકડા માંડ્યા?? (માંડ છૂટ્ટાનો મેળ થ્યો હોય ત્યાં.😋) ના, ના.. આપણે તો ખુશીની ફિલસૂફી અને માણસની મનસૂફી વિષે વાત કરવી છે. 

વ્યક્તિના જીવનનો ઉદ્દેશ- The Ultimate Goal of Life વિષે અલગ-અલગ ધર્મો વડે, વિજ્ઞાનની વ્યાખ્યા દ્વારા અને સમયની સારણી મુજબ સમજવાનો પ્રયત્ન સદીઓથી ચાલુ છે. પરંતુ, સાર્થક જીવનની વ્યાખ્યા કે ખરો અર્થ હજી સમજી શકાય તેમ નિરુત્તર છે. (જે એનો તાગ મેળવી ચૂક્યા છે તેઓ આ secretને એટલી સરળતાથી રજૂ કરે છે જેથી એ આપણને ગળે ઉતરતું નથી.. અહો વૈચિત્ર્યમ..!) એક જ બાબતમાં તમામ ધર્મ-રંગ-લિંગથી અને અનેક રીતે ભિન્ન લોકો એકમત છે, અને તે છે--- આનંદની પ્રાપ્તિ.,, ખુશીની શોધ..

દરેક લોકો પોતાની સમજ કે અનુભવના આધારે ખુશીની વ્યાખ્યા અલગ કરે છે. કોઇને ખાવા-ખવડાવવામાં અનેરો આનંદ આવે, કોઇને અવનવાં પરિધાનો પહેરવામાં.. કોઇને અનેક ભૌતિક કાયમ નવાં સ્વરૂપો ને રૂપકડાં નામો ધરાવતી ચીજોમાંથી કોઇ ચીજનો.. કોઇને બીજાને રંજાડવામાં (મનોવિકૃત્ત હોં..!) મજા, તો કોઇ ઓલિયા જેવાને બીજાને રાજી રાખવામાં મજા આવતી હોય છે!

 વિજ્ઞાન જેને  'એડ્રીનાલીન' કહે એને કે  'યુથ રશ'માં ખપાવી, ઉત્સાહવર્ધક તરીકે ગણી વ્યસનથી માંડી વ્યાભિચાર દ્વારા આનંદ મેળવનારા છે અને એ જ મજા માટે લોકો સ્વપ્નેય ના વિચારે એવાં દિલધડક કારનામાંઓ (કાયદેસર-ગેરકાયદેસર જ સ્તો..!) કરનારાંઓ પણ છે જ!
ફરી એક વાર ચવાઇને ચૂથ્થો થયેલ ધાર્મિક, રાજકીય, સામાજિક કે આર્થિક રીતે સફળ થયેલ નામી-બેનામી મહાનતમ લોકોના જીવનની વાર્તાઓ, બોધપાઠો અને પ્રેરક પ્રસંગોનો મારો ચાલુ થવાની 'સીઝન' આવી ગઇ છે.. વિશ્વના બીજા નંબરની વસતિ ધરાવતાં દેશમાં દિવાળી એ માત્ર કોઇ એક ધાર્મિક તહેવારની બદલે કંઇક નવું કરવાની ધગશ પેદા કરતી ઘટના લાગી છે મને તો નાનપણથી જ.. આ સમયમાં પાછલાં વર્ષનું મનોમન સરવૈયું મુકેશ અંબાણીથી લઇને મફાભાઇ સુધીના તમામ લોકો કાઢતાં જ હોય છે... (gender discrimination લાગ્યું?? તો અરુંધતિ ભટ્ટાચાર્ય કે ઐશ્વર્યાથી આરતી રાખો ને ભૈ'સાબ (!) :-) ) ભાગ્યે જ એવા જૂજ લોકો હશે જે મનોમન પોતાની હાલની સ્થિતિથી ખુશ કે સંતુષ્ટ હશે..

આની પાછળનું કારણ જણાવતાં મેસેજીઝ પણ પાછા સોશિયલ મીડિયા મારફત જ ફરે છે. દરેક વ્યક્તિ જન્મજાત by default પ્રતિસ્પર્ધી ઉર્ફ competitive હોવાનો જ.. એ જ ખાસીયત મુજબ દરેક વ્યક્તિ જીવનમાં પોતાની વ્યાખ્યા અનુસાર સફળ/ખુશ થવા પ્રયત્નશીલ હોવાનો જ.. એ કુદરતી છે પરંતુ, આ આવા દરેક પ્રયત્નોમાં સફળ થવાની જીદ કે એ માટે ગમે તે હદ સુધી જવાની માનસિકતા એ સર્વ દુઃખોનું કારણ છે એમ સમજાવાય છે આપણને, કર્મનો સિદ્ધાંત you know!

 'નેકી કર દરિયામેં ડાલ' ની સૂફિયાણી સલાહો આપનાર ધર્મગુરુઓ કે મૌલવી-પાદરીઓ પાછા એ.સી. હોલમાં બેસીને સોશિયલ મીડિયા કે અન્ય પ્રચાર માધ્યમ પર રૂપાળાં દેખાવા ને ઠાવકાં સાબિત થવા હવાતિયા મારતાં નજરે ચડે છે. એમનાં  કે અન્ય કોઇના લાખો કરોડો અંધ 'ભક્તો' કે જેમના પર આ આખો ભય અને દંભનો ધંધો ફૂલ્યો-ફાલ્યો છે, એમનાં પર તો અલગ thesis ઉર્ફ શોધ-નિબંધ લખી શકાય એમ છે એટલે હાલ એ મુદ્દાને આરામ, હોં કે!)  

આ બધું જોઈને થાય છે કે જીવનમાં બધાં પ્રકારના આનંદ માણવા અને શોખ કે ઈચ્છાઓ પૂરી કરવા જરૂરી છે નાણું, એ કમાવા માટે સખત તેમજ સતત મહેનતમાં માનનારા હોય છે જે પોતાનું જીવન એ પ્રવૃત્તિને સર્વસ્વ સમજી એમાં ખર્ચી નાખે છે. આ બધી ક્રીડાઓમાં ભોગ લેવાય છે અંતરના આનંદનો..! ના,ના આસ્તિકો માટે સર્જનહાર અને નાસ્તિકો માટે કુદરત કે વિજ્ઞાન કે અકળ નિયમ દ્વારા માનવીનું આ દુનિયામાં ( એલા ભાઇ , તમે ને હું છીએ એ ઘટના હોં કે .... લોલમલોલ) શાંતિ કે મોક્ષની પ્રાપ્તિ માટે થયું એ ધાર્મિક માન્યતા કોરાણે મૂકીને જ ચાલીએ તો આનંદ, ખુશી કે મોજ એ દરેકને ખૂબ સરળતાથી પ્રાપ્ય છે,, મનગમતી પ્રવૃત્તિઓમાં.. જીવનનિર્વાહ માટે દરેક વ્યક્તિ જે કામ કરતો હોય એ જ કામ એને હંમેશા કરવું ગમતું હોય એ આજના સમયમાં જરૂરી નથી, હા અમુક વિરલ વ્યક્તિત્વના સ્વામી/સ્વામિનીઓ પોતાની પસંદને career બનાવી શક્યા હોય છે જે એમના માટે સદાય ખુશ રહેવાનું/જીવતાં-લડતાં રહેવાનું કારણ બની રહે છે (એમાં કંટાળો આવે કે cut throat competition માં અસફળ થવાય ત્યારે કોઈ કોઈ ના જીરવી શકતાં માનસિક પડી ભાંગી, સંસારને અસાર ગણે છે હોઁ!) એ સિવાયના (more than 90%) સામાન્ય વ્યક્તિઓ માટે જીવનમાં રોજિંદી ઘટમાળ સિવાય એકાદ નાનકડો શોખ, ખુશહાલ કે સમજુ પરિવાર, મિત્રોનો સાથ-સંગાથ. નાની મોટી ખુશીમાં સાથે મળીને ઉજવણી અને વિપત્ત પડે સ્વજનનો ખભો, પ્રેમાળ સ્પર્શ કે મૃદુ હાસ્ય એ જ સૌથી મોટી સિદ્ધિ હોય છે.

તમને થશે કે આટલું લાંબુ-લચક લખ્યા પછી ખુશી કે આનંદની સાચી વ્યાખ્યા, સમજ કે મોજમાં રહેવાનો કોઈ તરીકો અથવા કાયમી feel good factor ટકાવવાનો ઉપાય તો આવ્યો નહીં.. યસ, એ જ તો.. દરેક વ્યક્તિ એકબીજાથી અલગ લાક્ષણિકતા ધરાવે છે એમ જ દરેકનું સત્ય કહો કે દરેકની ખુશી અલગ હોય છે. એની કોઈ common minimum બાબત કે પાયાની જરૂરિયાત હોતી નથી.. માનવજીવન મળ્યું છે, કુદરત મળી છે, બુદ્ધિ (?) અને અઢળક માહિતીના સ્રોત સમય અનુસાર મળ્યા છે.. સારું એ તમારું, choice is yours કે સતત ખુશીની શોધમાં રહેવું અને દરેક વાત સમજવા કે તર્ક કરતા રહેવું કે જયાં મળે ત્યાંથી, જે સ્વરુપ કે સ્રોત દ્વારા મળે એ રીતે જ્ઞાન પ્રાપ્ત કરી, એનો સ્વ તથા શકય હોય તો અન્યોની ખુશી માટે ઉપયોગ કરવો.. 
મરણ નિશ્ચિત અને અનિવાર્ય (હાલ તો ખરું જ!) છે માટે જીવો ત્યાં સુધી મોજમાં રહો!
Happy Living..
(વિચાર ગમ્યો હોય કે વાસી લાગ્યો હોય, મંતવ્ય જરૂર આપજો..
તો આ વાચકો કે જે પોતાના વિચારો આપ સમક્ષ પોતાની સમજ અને શૈલી દ્વારા રજૂ કરે છે.. એ મોજમાં રહેશે..!)

-Maulik Pandya 
pmaulikb@gmail.com
16/11/16 



 (blog developer અને અથાક મહેનતથી બ્લોગની કામગીરી સંભાળતા અંકિત માટે મારી યથા મતિ-શક્તિ એક નાની ભેટ, ખાસ પ્રસંગે..!)

N.E.E.T & CLEAN - આધુનિક માતા-પિતાની વ્યથાકથારૂપ બનેલ શિક્ષણ અને પેરેન્ટીંગ


N.E.E.T & CLEAN - આધુનિક માતા-પિતાની વ્યથાકથારૂપ બનેલ શિક્ષણ અને પેરેન્ટીંગ
-મૌલિક પંડ્યા
સા વિદ્યા યા વિમુક્તયે

વિષ્ણુપુરાણના પ્રસ્તુત શ્લોકનો અર્થજે બંધન (કોઇપણ પ્રકારનું હોય શકે) માંથી મુક્તિ અપાવે તે વિદ્યા. શ્લોકનો અર્થવિસ્તાર તો લગભગ બધા લોકો વિદ્યાર્થીકાળથી ગોખી લે છે પરંતુ, મોટાભાગના તે અમલમાં આજીવન મૂકી શકતાં નથી. સામાજિક કુરિવાજો, રૂઢિગત (વાસી, તદ્દ્ન ખોટી કે દેખીતી અને સ્વયં સ્પષ્ટ ગેરવાજબી) પરંપરાઓના બોજ તળે સમગ્ર જીવન વીતાવી દે છે. અત્યારના સમયમાં વ્યક્તિના ઘડતર અને ચારિત્ર્ય નિર્માણ (ચોખલિયાઓ માટે પાછી ચારિત્ર્યની વ્યાખ્યા ચામડીના રંગ, કપડાંની લંબાઇ કે ધાર્મિક માન્યતાઓ સંબંધિત હશે, જે અહીં કોઇ મહત્વ ધરાવતાં નથી, હોં કે!..) માટે સૌથી અગત્યની બાબત હોય તો તે છે- શિક્ષણ..

અહીં શિક્ષણની વાત નીકળતાં  સમગ્ર વિશ્વમાં ભારતનો ભવ્ય-સુવર્ણ ભૂતકાળ અને સોને કી ચીડિયા વાળી મનોવૃત્તિના તારક મહેતા....” ફેઇમ મી.ભીડેના અનુજો હમારે ઝમાનેમેં...’ થી ચર્ચા આરંભશે અને Gen-next ને બોર કરશે. (ઉફ્ફ! એક વાક્યમાં આટ-આટલા ઉપમા અને સંદર્ભો..!) અરે સુજ્ઞજનો! ભૂતકાળની વાત ગમે તેટલી સારી, સાચી કે અભિભૂત કરનારી હશે પણ હાલના સમયમાં બિલકુલ અપ્રસ્તુત છે. અત્યારે તો પેઢી માં-બાપ બની છે કે જે નાનપણથી Playschool-preschool માં અને ટ્યુશનપ્રથામાં મોટી થઇ છે. મેકોલેથી માંડીને હાલની શિક્ષણપદ્ધતિ અને તેની ખૂબીઓ-ખામીઓ વિશે ફરી ક્યારેક નિરાંતે વાત માંડીશુ.

પરંતુ, હાલ મારું ધ્યાન જે બાબતે ખેંચ્યું (અને બ્લોગલેખનના પ્રથમ પ્રયાસમાં આટલો ભારે ભરખમ વિષય પસંદ કરવા મજબૂર કર્યો જે આત્મઘાતીપગલું સાબિત થઇ શકે હોં કે..!) હોય તો છે N.E.E.T. (નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રેન્સ ટેસ્ટ). તેનો ટૂંકો ઇતિહાસ જોઇએ તો ૨૦૧૨માં UPA સરકારના સમયગાળામાં મેડીકલ (M.B.B.S. અને B.D.S.)માં વિદ્યાર્થીઓને સમગ્ર દેશમાં એક સમાન ધારાધોરણો વાળી એક પરીક્ષા દ્વારા તમામ સરકારી, ખાનગી મેડીકલ કોલેજોમાં પ્રવેશ આપવાનો ઉમદા હેતુ તેની પાછળ હતો. તેની સામે ખરેખરા અર્થમાં આડખીલી કોઇ હોય તો બધાં રાજ્યોમાં અલગ અલગ અભ્યાસક્રમો તથા સ્થાનિક ભાષામાં અપાતું શિક્ષણ હતું. સિવાય ખાનગી કોલેજ સંચાલકોએ પોતાની મનમાની ફી તથા મેનેજમેન્ટ અને અન્ય ક્વોટાના રૂપકડાં નામે ઉઘરાવાતી ફી ગુમાવવાના ડરથી તથા લઘુમતિ હિતોના રક્ષણના નામે રાજનીતિ કરનારી અને અનામતના નામે અરાજકતા ફેલાવી રોટલા શેકનારી કહેવાતી બૌદ્ધિકોની જમાતએ મળીને N.E.E.T નહિં યોજાવા દેવા સબબ ચુકાદો મેળવી લીધો. આમ છતાં ઊજળી બાજુ હતી કે સારો વિચાર સરકાર બદલાવા સાથે બદલાયો નહિં અને ૨૦૧૬માં આખરે N.E.E.T-PG કે જે અનુસ્નાતક કક્ષાએ પ્રવેશ માટે લેવાતી હતી તેની જેમ N.E.E.T-UG જે સ્નાતક કક્ષાએ પ્રવેશ માટે લેવા ફરી માળખું ઘડાયું. વર્ષો બાદ પણ સમસ્યાઓ અને વિરોધ એના રહ્યા. કાયદાકીય રીતે અનેક ગુંચવાડાઓ બાદ ૧લી મે ના રોજ N.E.E.T-1 લેવાઇ (MCI = મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા લેવાયેલ AIPMT = ઓલ ઇન્ડીયા પ્રિ-મેડીકલ ટેસ્ટએ ..) અને અનેક અવરોધો અને અસમંજસને લીધે ફક્ત જે વિદ્યાર્થીઓ પહેલા તબક્કામાં પરીક્ષા ના આપી શક્યા તેમના માટે MCI N.E.E.T-2 નું આયોજન વર્ષ પૂરતું કરાશે. સિવાય રાજ્યો અને ખાનગી કોલેજ સંચાલકોના વિરોધને શમાવવા ભારત સરકારે જાહેરનામું બહાર પાડી વર્ષ પૂરતી રાજ્યો અને ખાનગી કોલેજ સંચાલકોને પોતાની અલગ એન્ટ્રેન્સ ટેસ્ટ મારફત એડમિશનની છૂટ આપી છે.

 (કદાચ આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કેમ કે, વિરોધમાં સામેલ થયેલા મોટાભાગના વાલીઓ N.E.E.T ના લાભ-ગેરલાભ વિશે કશું જાણતા હોવા છતાં તેમના વિરોધથી સરકાર વિરોધી સૂર બુલંદ બનતો જતો હતો,જો કે આપણો મુદ્દો બિલકુલ રાજકીય નથી હોં કે!!!)  આવતા વર્ષથી પ્રાદેશિક ભાષાઓમાં N.E.E.T લેવાશે તેમ કહી ફરજિયાત પણ બનાવી છે. બાબતે મુખ્ય મુદ્દો કે જેણે મારા દિલોદિમાગ પર કબજો લઇ લીધો છે છે કે   (તમને થશે આટલી લવારી બાદ મુખ્ય મુદ્દો..!?? :D) ગુજરાત સરકારે લખાઇ છે ત્યારે સેમેસ્ટર પદ્ધતિ નાબૂદ કરવાની જાણે વિદ્યાર્થીઓ-વાલીઓ પર મોટો ઉપકાર કર્યો હોય તેમ વટભેર જાહેરાત કરી છે પરંતુ, ખુદ શિક્ષકની ભૂમિકા ભજવી ચૂકેલ માન.મુખ્યમંત્રીશ્રીશાળા પ્રવેશોત્સવ’, ‘ગુણોત્સવ’, કન્યાકેળવણીની વિવિધ યોજનાઓ કેમધ્યાહન ભોજનછતાં આપણાં રાજ્યના સતત કથળતા શિક્ષણસ્તર પ્રત્યે સબળ અને નક્કર તબક્કાવાર કે આયોજનબદ્ધ પગલાં નથી વિચારી શકતા ત્યારે કામ વાલીઓની જવાબદારી થઇ જાય છે. આમ પણ બાળકને સાચું શિક્ષણ આપવાની જેટલી જવાબદારી સરકાર, શિક્ષકો કે શાળાની છે તેનાથી વિશેષ માતા-પિતાની હોય છે. નાનપણથી મૂલ્યોના સંસ્કારરૂપી સિંચન દ્વારા અને જે શાળાના અભ્યાસક્રમોમાં (ભારતમાં ખાસ) ક્યારેય નથી અપાતુ એવું PRACTICAL LIFE  બાબતનું શિક્ષણ અત્યારના સમયમાં માતા-પિતાથી વધુ સારી રીતે તે વળી કોણ સમજાવી-શીખવી શકવાનું? હાલની શિક્ષણ પદ્ધતિની અનેકવિધ સમસ્યાઓ વિશે ખૂબ લખાયું, બોલાયું છે પરંતુ, ખાસ કંઇ અમલમાં મૂકાયું નથી તે હકીકત દીવા જેવી સ્પષ્ટ છે. આથી પરિસ્થિતિમાં રહીને શકય સુધારા સૂચવવાનો વિનમ્ર પ્રયાસ કરુ છું. (અને પણ મારા લખાણથી કોઇ બહુ મોટી ક્રાંતિ સર્જાશે એવી કોઇ ફાંકા-ફોજદરી વિના હોં કે..!)

      નાનપણથી દેખાદેખીમાં કે બીજાની સલાહથી બાળકના અભ્યાસનું માધ્યમ નક્કી કરી માં-બાપ પ્રથમ અને પાયાની ભૂલ સુધારી શકે છે. અનેક નિષ્ણાંતોએ ઊંડાણપૂર્વકની ચર્ચા-વિચારણાના અંતે અને સાયન્ટિફિક રિસર્ચ બાદ જે નિષ્કર્ષ તારવ્યો છે, અનુભવીઓ અગાઉ અનેક વાર કહી ચૂક્યા છે ( બાબતમાં પુરોગામીઓથી સહમત!) કે બાળકને ઓછામાં ઓછું પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવું. એનાથી બાળકની આંતરિક સૂઝ વિકસે છે અને મનોવૈજ્ઞાનિક ફાયદાઓ પણ છે. આજકાલ social media પર પોતાના બાળપણની વિવિધ મેદાન પરની રમતો, સમૂહ ભાવના કે તેના લીધે આજીવન ટકી રહેલ મિત્રતાના senti મેસેજીસ અને મામાના ઘરે વેકેશનમાં જવાના દિવ્ય આનંદની વાતો કરી હરખઘેલાં થતાં યંગ પેરેન્ટઝ ભૂલી જાય છે કે પોતાના કુમળા માનસવાળા ભુલકાંઓને પોતે નાનપણથી કે .ઇંચની આભાસી દુનિયા તરફ ધકેલે છે. મારા મત મુજબ મુગ્ધાવસ્થા એટલે કે બાળકના ભોળપણની અવસ્થામાં એના પોતાના રસ કે વિશેષ પ્રતિભા સિવાય પરાણે તેને રેસનો ઘોડો બનાવી માતા-પિતા બીજી ગંભીર ભૂલ કરે છે. અનેકવિધ ટી.વી. રિયાલીટી શૉના લિટલ ચેમ્પસની ડાન્સીંગ, સીંગીંગ, એક્ટીંગ, મેમેરી પાવર કે અન્ય સ્પોર્ટ્સને લગતી સ્કીલ્સ જોઇને ભલે લોકો હરખાતાં અને વખાણતાં હોય અને માં-બાપ પણ પોરસાતા હોય પરંતુ, તેનાથી જીવનનો એક વાર મળતી નિર્દોષ આનંદની અને પરમ સમાધિથીય દુર્લભ એવી પળો બાળક પાસેથી આપણે ઝૂંટવી લેતા હોઇએ છીએ.

      આગળજતાં, ટ્યુશનપ્રથાએ રચેલ માયાજાળમાં બાળકો ફસાય છે. નિ:શંકપણે જે-તે સમયે શિક્ષણનું સ્તર સુધારવામાં મદદરૂપ ટ્યુશનપ્રથા હવે માત્ર કમાવાનું સાધન બની ગઇ છે. બહુ જૂજ અપવાદોને બાદ કરતાં હવે ડૉક્ટર્સની જેમ વિદ્યાના રખેવાળો તેની ઘોર ખોદવા બેઠા છે. આપણે ગ્રેડેશન સિસ્ટમને અધકચરી અપનાવીને વ્યવસાયને નાથવાના બદલે N.E.E.T. જેવી અનેક મહત્વની પરીક્ષાનો ખોટો હાઉ ઉભો કરી વધુ વિકરાળ સ્વરૂપ આપ્યું છે. આવી પરીક્ષાઓ માટે ખરેખર જો અભ્યાસક્રમ વ્યવસ્થિત રીતે સમજણપૂર્વક ભણાવાય તો અલગથી કોચીંગની જરૂર નથી હોતી. ખાસ કરીને ગુજરાતના વાલીઓ-બાળકો રાષ્ટ્રીય કક્ષાની આવી નામાંકિત કોલેજો કે અભ્યાસક્રમોમાં એડમિશન માટેની પ્રક્રિયાથી કાં તો અજાણ હોય છે અને કાં તો અરસિક! મેડીકલ-ઇજનેરીની ખ્યાતનામ કોલેજોમાં સારી તૈયારી સાથે વટભેર પ્રવેશ મેળવીને લાયકાત સાબિત કરવી તો દૂર પણ સિવાયના કોર્સીસમાં તાત્કાલિક ફાયદો પણ નથી દેખાતો એટલે દૂર ભાગે છે વેપારી માનસના ગુજ્જુભાઇઓ..! કારણથી વિવિધ સવલતો તથા અન્ય રાજ્યોની સરખામણીમાં સંપન્ન ગુજરાતીઓનું સાહસ અને યોગદાન ધંધાના વિકાસ સિવાય સિમીત રહ્યું છે. ગુજરાતના સરેરાશ (મોટેભાગે ગુજરાતી માધ્યમના તમામ) વિદ્યાર્થી હંમેશા અંગ્રેજી ભાષાના ભ્રામક દુષ્પ્રચારને કારણે અને અમુક ભેજાંગેપ લોકોની માનસિકતાના કારણે રાષ્ટ્રીય કક્ષાએ જ્ઞાનની કોઇપણ હરીફાઇમાં સમર્થપણે ભાગ નથી લઇ શકતાં ગુજરાતની સ્થાપનાના ૫૬ વર્ષે પણ વરવી વાસ્તવિકતા છે.!  બધાંના પાયામાં બાળકને નાનપણથી સ્વયં શિસ્ત, કાયદાનું પાલન, જાત મહેનત અને પ્રચલિત રૂઢિઓ માન્યા વિના પોતાની જાતે ઝઝૂમીને, ભલે વારંવાર નિષ્ફળ જઇને પળ પોતાના રસ્તે લડત આપવાની ખુશી સાથે જીવન પસાર કરવાની કળા નથી શીખવાડી છે. જીવનમાં માત્ર પૈસા અને ભૌતિક સુખ-સગવડો સર્વસ્વ નથી પરંતુ, યોગ્ય માત્રામાં અર્થોપાર્જન કરવાની સાથોસાથ જિંદગીને ચસોચસ જીવી લેવાની, માણી લેવાની કળા આધુનિક માં-બાપો હવેની પેઢીને વારસામાં આપી શકે છે.

 મારા અને આપણાં સૌના લાડીલાં જય વસાવડા સરના વ્યાખ્યાનમાં સાંભળેલી વાત રીપીટ કરું તો આજકાલના પેરેન્ટસ સંતાનો વતી અડધી-પોણી જિંદગી જીવી દેતાં હોય છે. (બાય વે, પેરેન્ટીંગના પરફેક્ટ કોચીંગના પર્યાયસમી, પોતાના અનુભવોથી સમૃદ્ધ અને જેનું લે-આઉટ જોયા પછી અભણને {અહીં અસરિક સમજવું હોં કે..!} પણ વાંચવાની ઇચ્છા થાય તેવું JV સરનું પુસ્તકમમ્મી-પપ્પામાર્કેટમાં આવી ગયું છે જેની વ્હાલસભર નોંધ સાથે વિરમું છું.)
Photo courtesy: bergencounty.com
 (..ક્રમશ:..)
(Views & Comments are welcomed હોં કે!,)
મસ્તમૌલાની બેફિકરી વાતો
#Maulik Pandya (14/06/2016)
pmaulikb@gmail.com